મોરબી : પરિણીતાનું દાઝી જતા મોત

- text


મોરબીનાં શોભેશ્વર રોડ પર કુબેર ટોકિઝ પાછળ મફતીયાપરામાં રહેતી દિપીકા શંકર અખીયાણી ઉ.૨૨ નામની કોળી પરિણીતા દિપીકા સ્ટવ પર રસોઇ બનાવતી હતી ત્યારે સાડીનો છેડો સળગતાં ભડકો થતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ અહિ ગત રાત્રે મોત નિપજતાં સિવિલ હોસ્પિટલના સ્ટાફે મોરબી સીટી પોલીસને જાણ કરી હતી. પાપ્ત વિગત મુજબ મૃત્યુ પામનાર દિપીકાના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. તેનો પતિ છૂટક મજૂરી કરે છે. આ અકસ્માત અંગે મોરબી પોલીસએ વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text