મોરબી : નર્મદાની કેનાલમાં ડુબી ગયેલ દેવીપુજક બાળકને શોધવા માટે કેનાલ બંધ કરવા આદેશ

- text


મોરબી : શાપર પાસે જુના કપડાનું વેચાણ કરવા આવેલ દેવીપૂજક પરિવારનો ૭ વર્ષનો દીકરો સાહિલ વિજય દેવીપુજક આજે બપોરના સમયે શાપર નજીકની નર્મદા કેનાલમાં અકસ્માતે પડી ગયો હતો. બાળકને બચાવવા પ્રયાસો શરુ કર્યા હતા પણ બાળક પતો નહી લાગતા મોરબી ફાયર ટીમ પણ દોડી ગઈ હતી ફાયરની ટીમના તરવૈયાઓએ બાળકને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું જોકે કેનાલમાં આવેલ સાયફોનમાં બાળક ફસાયો હોવાથી બાળકને શોધવા મુશ્કેલી પડી રહી છે. જેથી નર્મદાની ધ્રાંગધ્રા કેનાલમાં ડુબી ગયેલ દેવીપુજક બાળકની લાશને શોધવા માટે કેનાલ બંધ કરવા આદેશ આપવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે. નર્મદાની ધ્રાંગધ્રા કેનાલ રાત્રીના ત્રણ વાગ્યાથી બંધ થશે. અને સવારે નવ વાગ્યાથી બાળકને શોધવા માટેની કામગીરી ફરી હાથ ધરાશે તેવું જાણવા મળ્યું છે.

કેનાલની ફાઇલ તસ્વીર

- text