મોરબી : તા.17 ના રોજ સૌનો સાથ સૌનો વિકાસ સંમેલનનું આયોજન

- text


ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (માર્ગ પરિવહન ધોરીમાર્ગ મંત્રાલય) દ્વારા તા. ૧૭ જુન શનિવારનાં રોજ બપોરે ૩ વાગ્યે ઉમાટાઉનશીપ ગ્રાઉન્ડ મોરબી ખાતે સૌનો સાથ સૌનો વિકાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં કેન્દ્રીય મંત્રી શ્રી જે.પી. નડ્ડા, રાજ્ય કક્ષાનાં મંત્રી શ્રી જયંતીભાઈ કવાડિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, વિનોદભાઈ ચાવડા, પૂનમબેન માડમ, દેવજીભાઈ ફતેપરા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા બાવનજીભાઈ મેતલિયા વિશેષ ઉપસ્થિતિ રહેશે તેમ કલેક્ટર આઈ.કે. પટેલે  આજે યોજાયેલ પ્રેસ કોન્ફ્રન્સ માં જણાવ્યું હતું  આ પ્રેસ કોંફ્રન્સ માં ડીડીઓ  ખટાણા ,અધિક કલેક્ટર પી.જી.પટેલ,  નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓ તથા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.મોરબી : તા.17 ના રોજ સૌનો સાથ સૌનો વિકાસ સંમેલનનું આયોજન

- text