- text
પં.દિનદયાલ ઉપાધ્યાય જન્મશતાબ્દી વર્ષ કાર્યક્રમમાં લેશે ભાગ
મોરબી : કેન્દ્રિય મંત્રી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પરષોત્તમભાઈ રૂપાલા પંડિત દિનદયાલ ઉપાધ્યાય જન્મ શતાબ્દી વિસ્તારક યોજના અંતર્ગત મોરબી શહેરના બૂથ નં 208 માં વિસ્તારક તરીકે કાર્ય કરશે. આ કાર્યક્રમ અંતર્ગત પરસોત્તમ રૂપાલા મોરબી જેઈલ રોડ પર શિવજીની પ્રતિમાને હારતોરા કરી પોતાનો બુથ વિસ્તારક તરીકે પ્રવાસ સારું કર્યો હતો. રૂપાલા ના પ્રવાસને લઈને પાર્ટીના કાર્યકર્તાઓમા ઉત્સાહનો દોરીસંચાર થયો છે.
મોરબી ખાતે માનનીય રૂપાલા વિસ્તારક તરીકે જેઈલ રોડ વિસ્તારમાં બુથના મતદારોનો સંપર્ક, બૂથ સમિતિની મિટિંગ તેમજ ડોર ટુ ડોર લોકસંપર્ક શરુ કર્યો હતો. આ તકે મોરબી જિલ્લાના ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- text