મોરબી : પરિણીતા આપઘાત કેસમાં પતિ અને સાસરિયા સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ

- text


મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે પતિ સહિતના સાસરિયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના નાની-વાવડી ગામે પરિણીતાના આપઘાત કેસમાં તેના પતિ અને સાસરિયા સામે શારીરિક-માનસિક ત્રાસ આપી મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે પતિ સહિતના સાસરિયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના નાની વાવડી ગામે રહેતી ભારતીબેન મગનભાઇ મકવાણા (ઉ.વ.૨૪) નામની પરિણીતાએ તા.૧૧ ના રોજ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના પિતા બચુભાઇ જીણાભાઇ જાદવે મૃતકના પતિ મગનભાઇ ધનાભાઇ મકવાણા તથા સાસરિયા જશુબેન ધનાભાઇ મકવાણા, હેતલબેન ધનાભાઇ મકવાણા, સસરા ધનાભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ ફરિયાદીની મરણજનાર દિકરી ભારતીબેન મગનભાઇ મકવાણાને ઘરમાં કામકાજ કરવા બાબતે મેણાટોણા મારી માનસિક દુ:ખ ત્રાસ આપી મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text