ટંકારા : તું તારા માં-બાપને મૂકી દે તેમ કહી પરિણીતાને આપ્યો ત્રાસ

- text


ટંકારા : ટંકારાની પરિણીતાને પતિ સહિતના સસરિયાઓએ દુઃખ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની મહિલા પોલીસે ફરિયાદ નોંધી પતિ સહિતના સાસરિયા સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબીના મહિલા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જામનગરમાં સાસરયું ધરાવતી અને હાલ ટંકારામાં પિતાના ઘરે રહેતી અંજુબેન ગીરીશભાઈ મંગાભાઈ જાદવ નામની પરિણીતાએ ગીરીશભાઈ મંગાભાઈ જાદવ, મંગાભાઈ ખીમજીભાઇ જાદવ, કાંતાબેન મંગાભાઈ ખીમજીભાઇ જાદવ, પંકજભાઈ મંગાભાઈ જાદવ રહે બધા તારાણા મોરાણા, જોડીયા જામનગર સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૦૫/૦૩/૨૦૧૮ પછી આશરે બે –અઢી માસ બાદ અવાર-નવાર તારાણા-મોરાણા ગામે બનેલા આ બનાવમાં ફરિયાદીને આરોપીઓએ નાની નાની બાબતમા કહેતા કે તે તારા પૈસે લગ્ન કરેલ છે અને તુ તારા મા બાપને મુકી દે તો જ અમે તને સારી રીતે રાખશુ તેમ કહી હેરાન પરેશાન કરી મેણાટોણા મારી શારીરિક માનસિક દુ:ખ ત્રાસ આપી તેમજ તા.૦૧/૧૧/૨૦૧૯ ના રોજ આરોપી નં.૩ નાએ ફરિ.ને કહેલ કે તને બેસતાવર્ષે પહેરવા આપેલ સોનાનો હાર આપી દે જેથી ફરિયાદીએ કહેલ કે મે તે હાર પલંગ ઉપર રાખ્યો છે તેમ કહેતા આરોપી નં.૩ ને સારુ નહી લાગતા એકદમ ઉશ્કેરાઈ જઈ જેમ ફાવે તેમ ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી ઈજા કરી તેમજ અન્ય આરોપી સાથે મળી ફરિ.ને શારીરિક માનસિક દુ:ખ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text