રવિવારે માળીયા મી.ના જશાપર નજીક આવેલ હઝરત મહમંદશાહ પીરનો ઉર્ષ ઉજવાશે

- text


માળીયા (મી.) : માળિયા મીયાણાના જશાપર ગામ પાસે વર્ષો જુની હઝરત મહમંદશાહ પીર દરગાહ શરીફ આવેલ છે. દર વર્ષે મુસ્લિમ ચાંદ રબ્બી. આખર ૧૦ના રોજ, પુરી આસ્થા અને શ્રધ્ધાથી કોઈ નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર અહીં ઉર્ષ મુબારકની ઉજવણી કરવામાં આવે છે. તારીખ 8 ડિસેમ્બરને રવિવારે મુસ્લિમ ચાંદ ૧૦ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે શંદલ શરીફ ૧૦:૩૦ કલાકે વાયેઝ શરીફ અને બપોરે ૧૨:૩૦ કલાકે ન્યાઝ શરીફનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ ઉર્ષ દરમિયાન સુમરા, માજોઠી, જુનેજા, વાઘેર, પઠાણ, લાડગા, મીયાણા, હિંગરોજા સહિતના દસ સમાજના લોકો ઉમટી પડે છે તેવુ “હઝરત મહમંદશાહ પીર સેવા સમિતી”ના યુનિશભાઇ સુમરાની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

- text