પેટ્રોલપંપના બહાને ₹ ૧.૬૯ કરોડની ઠગાઈનો ભેદ ઉકેલાયો : ₹ ૫૪.૪૩ લાખની રિકવરી

- text


મોરબી એલસીબીની ટીમે બિહાર જઈને છેતરપીંડી આચરનાર ટોળકીના બે શખ્સોને પકડ્યા, અન્ય ત્રણને પકડવા તપાસનો ધમધમાટ

મોરબી : મોરબીના જેતપર ગામના વેપારીને રિલાયન્સ પેટ્રોલપંપની ડિલરશીપ આપવાના બહાને રૂ. ૧.૬૯ કરોડની છેતરપીંડી આચરવામાં આવી હતી. એલસીબીની ટીમે બિહાર જઈને આ ગુનાનો ભેદ ઉકેલીને બે શખ્સોને રૂ. ૫૪. ૪૩ લાખની રોકડ સાથે ઝડપી પાડ્યા છે. ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલ અન્ય ત્રણ આરોપીને પકડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી માહિતી મુજબ મોરબીના જેતપર ગામના વેપારી હિરેનભાઈ ચંદુભાઈ અઘારા રિલાયન્સ પેટ્રોલપંપની ડિલરશીપ મેળવવા માટે વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી હતી. આ વિગતો ક્યાંકથી મેળવીને ઠગ ટોળકીએ આ વેપારીને નિશાન બનાવીને તેને છેતરવાનો પ્લાન ઘડ્યો હતો. બાદમાં ઠગ ટોળકીએ વેપારીનો સંપર્ક સાધીને તેને વિશ્વાસમાં લઈને બેન્ક એકાઉન્ટમાં અલગ અલગ રકમ મેળવીને રૂ. ૧.૬૯ કરોડ ઓળવ્યા હતા.

બાદમાં વેપારીને છેતરપીંડી વિશે માલુમ પડતા તેને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના પગલે મોરબી એલસીબીની ટીમે બિહાર જઈને તપાસ હાથ ધરીને આ કામના આરોપી ગોપાલ મનોજસિંગ ભૂમિહાર અને વિપુલકુમાર રમોશ્રેયસિંગ ભૂમિહાર રહે.બન્ને વારસલીગંજ (બિહાર)વાળાઓને પકડી પાડ્યા છે. આ સાથે એલસીબીએ રોકડા રૂ. ૫૪,૪૩,૦૦૦ તેમજ લેપટોપ, વિવિધ એટીએમ કાર્ડ, પાસબુક નંગ ૬, ચેકબુક નંગ ૨ મળીને કુલ રૂ. ૫૪,૬૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

- text

આ સાથે પ્રાથમિક પૂછપરછમા એલસીબીને જાણવા મળ્યું કે આ ગુનામાં રોશનકુમાર રહે. ગંગાપુર (બિહાર), લલુંકુમાર સુલતાન મહતો રહે. ચકવાય(બિહાર), રીંકુદેવી કુમારઅજીત ભૂમિહાર રહે. વારસલીગંજ(બિહાર)વાળાની સંડોવણી ખુલતા તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text