મોરબી : મનોજ પનારાને જાનથી મારી નાખવાની ધમકી મામલે કોંગી અગ્રણી સહીત બે સામે નોંધાતો ગુનો

- text


પાસ કન્વીનર મનોજ પનારાએ કરેલી અરજીના અનુસંધાને તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

મોરબી : હાર્દિક પટેલના બગથળા કાર્યક્રમ દરમિયાન મોરબી પાસના કન્વીનર મનોજને કોંગ્રેસના આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હીંચકારો હુમલો કરવાની કોશિશ કરી હોવાની અરજી બાદ પોલીસે કોંગી અગ્રણી સહીત બે સામે વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી પાસ કન્વીનર મનોજ પનારાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં લેખિત અરજી આપી જણાવ્યું હતું કે કોંગ્રેસ આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ ઘનશ્યામભાઈ જાકાસણીયાએ ૨૦૧૭ માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ટીકીટ માંગતા તેમને બદલે બ્રિજેશ મેરજાને ટીકીટ મળતા આ બાબતનો ખાર રાખી અવાર નવાર મને ધમકી આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

વધુમાં અરજીમાં જણાવ્યા મુજબ ગાંધી જયંતિના અવસરે હાર્દિક પટેલના બગથળા ગામે ઉપવાસ આંદોલન સમયે ઘનશ્યામભાઈ જાકાસણીયા મારા ઉપર હુમલો કરશે તેવી દહેશત મારા મિત્રોએ વ્યક્ત કરી હતી અને એ મુજબ જ ઘનશ્યામભાઈ જાકાસણીયા ૧૦ થી ૧૨ લોકોને હથિયાર સાથે લઈ સભા સ્થળે આવ્યા હતા અને ધમકી પણ આપી હતી.

- text

વધુમાં ઘનશ્યામભાઈ જાકાસણીયાની ધમકીને પગલે પાસ કન્વીનર મનોજ પનારાએ મોરબી અને ટંકારા પોલીસ પ્રોટેક્શન મેળવી ઘર સુધી પહોંચ્યા હોવાનું જણાવી ઘનશ્યામભાઈ જાકાસણીયા વિરુદ્ધ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેમના ટેકેદાર અને નિકટતા ધરાવતા સંજય સુરાણી નામના માણસના મોબાઈલ ફોનથી સોશિયલ મીડિયામાં પણ બદનામ કરવામાં આવી રહ્યા હોવાનું અંતમાં જણાવી પૂરતું પોલીસ પ્રોટેકશન આપવા માંગણી કરી હતી.

આ અરજીના પગલે શહેરમાં ખળભળાટ મચી જવા પામી હતી. તાલુકા પોલીસે આ રોજ મનોજ પનારાની અરજીને અનુસંધાને ઘનશ્યામ જાકાસણીયા અને સંજય સુરાણી સામે ફરિયાફ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે ચર્ચા મુજબ આ પ્રકરણમાં ધારાસભ્ય પદની ટિકિટની સાથે અન્ય મુદ્દો જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.

- text