મોરબી : કુબેરનગરમાં જય માતાજી ગ્રુપ દ્વારા સતત ૧૦માં વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન

- text


મોરબી : મોરબીમા કુબેરનગર ખાતે જય માતાજી ગ્રુપ દ્વારા સતત ૧૦માં વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં બાળાઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

- text

મોરબીના કુબેરનગર -૪ ખાતે જય માતાજી ગ્રુપ દ્વારા છેલ્લા ૯ વર્ષથી નવરાત્રી મહોત્સવનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ પ્રકારે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ વિસ્તારની કોઈ પણ જ્ઞાતિની બાળાઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ નવરાત્રી મહોત્સવમાં દર વર્ષે સોનાના ઇનામો લ્હાણી પેટે આપવામાં આવે છે.આ ઉપરાંત જય માતાજી ગ્રુપ દ્વારા મહાઅષ્ટમી પ્રસંગે ખાસ રાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- text