પાકવિમો અને સિંચાઈ મુદ્દે આજે માળિયાના ખેડૂતોનું હલ્લાબોલ

- text


આજે કલેકટરને આવેદનપત્ર પાઠવી માંગ દોહરાવશે ખેડુતો

માળીયા : માળીયા મિયાણા પંથકના ૪૦ થી વધુ ગામોને સરકારે સિંચાઈ સુવિધાથી વંચિત રાખી પાકવિમામા પણ અન્યાય કર્યો હોવાના આરોપ સાથે આજે ખેડુતો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરશે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પંથકના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી સિંચાઈ સુવિધા મામલે સરકારને અનેક રજૂઆતો કરી ચુક્યા છે આમ છતાં સરકાર દ્વારા હકારાત્મક પ્રતિભાવ આપવામાં ન આવતા અંતે આજે માળીયા પંથકના ખેડૂતો દ્વારા રેલી સ્વરૂપે નીકળી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વધુ એક વખત પોતાની માંગ દોહરાવવામાં આવશે.

આ ઉપરાંત માળીયા મિયાણા પંથકના ખેડૂતોને પાક વિમામાં પણ હળહળતો અન્યાય શન કરવાનો વારો આવતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને સરકાર ની નીતિ રીતિ સામે રોષ વ્યકત કરી આજે સિંચાઈ અને પાકવીમા મુદ્દે જિલ્લા કલેકટર કચેરી ગજાવવા નકકી કરાયું છે.

 

- text