મોરબી : કેરળના પુરપીડિતોની સહાય સંદર્ભે વિવિધ સંસ્થાઓ સાથે બેઠક કરતા કલેક્ટર

- text


મોરબી : તાજેતરમાં કેરળ રાજયમાં સર્જાયેલા જળપ્રલયમાં અનેક લોકોના ભોગ લેવાય છે. લાખો લોકો બેઘર બન્યા છે. ત્યાંના પૂર પીડિતોને રાહત પહોંચાડવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી.

કેરળ પૂર પીડિતોને મદદરૂપ થવા માટે જિલ્લા કલેકટર કચેરીએ તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જિલ્લા કલેકટર આર.જે. માકડીયાના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં મોરબી સીરામીક એસો, જલારામ મંદિર, ઇન્ડિયન લાયન્સ ક્લબ સહિતની ૨૦ જેટલી સામાજિક કાર્યો કરતી સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા સંસ્થાઓને પૂર પીડિતો માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં ભંડોળ અંગે ચર્ચા કરી હતી અને ભંડોળ ઉભું કરી સંસ્થાઓ પૂર પીડિતો માટે અસરકારક રાહત સામગ્રી મોકલી શકાય તેમ જણાવ્યું હતું.સંસ્થાઓએ પણ આ સેવાકાર્યમાં યોગ્ય સહકાર આપવાની ખાતરી આપી હતી.

- text

- text