ટંકારાના નેકનામમાં શિકારી કૂતરાનો આંતક : ૪૫ ઘેટાં બકરાને ફાડી ખાધા

- text


એક સાથે ૪૫ ઘેટાંના મોતથી ભરવાડ પરિવારની આજીવિકા છીનવાઈ

ટંકારા : ટંકારાના નેકનામ ગામે માલધારી ના વાળામાં શિકારી કૂતરા ઘૂસી જતાં ૪૫ ઘેટાં-બકરાંના મોત નિપજતા ભરવાડ પરિવારની રોજી રોટી છીનવાઈ ગઈ છે.

બનાવ અંગે મળતી હકીકત પ્રમાણે નેકનામ ગામે રહેતા માલધારી ભલાભાઇ ભીખાભાઈ લામકા ના વાડામાં ગતરાત્રે શિકારી કૂતરા ઘુસી જતા ઘેટાં-બકરાં ને બચકા ભરી લોહીલુહાણ કરી નાંખ્યા હતા અને કુતરા થી બચવા ઘેટાં બકરામાં નાસભાગ મચી જતા ૪૫ જેટલા ઘેટાં બકરાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં ઘટનાની જાણ થતા પશુ ડોકટર પટેલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેમનો ટેલિફોનિક સંપર્ક સાધતાં જણાવ્યું હતું કે ઘેટાં અને બકરા શિકારી કૂતરા ને જોતા જ ભાગદોડ મચી અને આ આખી ઘટના બની હતી.

- text

તો બીજી તરફ આજીવિકા સમા ધેટા બકરાના મોત થી માલધારી પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી શિકારી કૂતરાએ ઘેટાં બકરા ફાડી ખાતાં લોહીલુહાણ હાલતમાં ઘેટા બકરા મોટી સંખ્યામાં મોતને ભેટતા મૃતદેહનો નિકાલ કરવામાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી

- text