- text
મોરબી : મોરબીના બંધુનગર પાસે આવેલ સિરામિક એકમમાં કામ કરતી વેળાએ યુવાનને વિજશોક લાગતાં મૃત્યુ નીપજ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બંધુનગર નજીક આવેલ ભીમાણી સિરામિકના ક્વાર્ટરમાં રહી રહી કારખાનામાં કામ કરતા મૂળ ઝારખંડ ના વિવીસન મોયેસાભાઈ બારી ઉ.૩૦ નામનો યુવાન બપોરના સમયે કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે વિજશોક લાગતા મોત નીપજ્યું હતું.
- text
ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- text