મોરબી : હોથીપીરની જગ્યામાં કવ્વાલીનો કાર્યક્રમ યોજતું યંગ ઇન્ડિયા ગ્રુપ

- text


મોરબી : સર્વ ધર્મ સમભાવ ના સૂત્ર સાથે સમાજ સેવાનું કામ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગઈકાલે મોરબીમાં આવેલ હોથીપીરની જગ્યા પર सवाबे दारिन જશ્ન રાખવામાં આવ્યો હતો…

પ્રાપ્ત વિગતો મુજબ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સર્વ ધર્મ સમભાવની ભાવનાને ચરિતાર્થ કરવા લીલાપર રોડ પર આવેલી મુસ્લિમ અને હિન્દૂ બંને ધર્મના લોકોના આસ્થાનું કેન્દ્ર રહેલી હોથી પીરની દરગાહ ખાતે કવ્વાલી નો ક્રાર્યક્રમ રાખેવામાં આવ્યો હતો. જેમાં યુનુસ શેખ, શાહરુખ શેખ, દિલાવર લાડકા સહિતના કલાકારોએ કવ્વાલી સહિતના ગીતો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ તકે સંગીત કલા ગુરુ તરીકે જાણીતા ડૉ. શૈલેષ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ કવ્વાલીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દૂ અને મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા અને કવ્વાલીનો કાર્યક્રમ માણ્યો હતો.

- text