મોરબી જલારામ મંદીર દ્વારા રાહત દરે શુધ્ધ ઘી ના અડદીયા નુ વિતરણ શરૂ

- text


રૂપિયા ૨૮૦ પ્રતિકીલોના ભાવે સુકામેવાથી ભરપૂર અડદિયા આખો શિયાળો વિતરણ કરાશે

મોરબી:શહેરના અયોધ્યાપુરી રોડ સ્થીત શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા પ્રતિવર્ષ સર્વજ્ઞાતિ માટે શુધ્ધ ચોખ્ખા ઘી ના સુકામેવાથી ભરપુર અડદીયાનુ રાહત દરે વિતરણ શિયાળા ની આખી મોસમ દરમિયાન કરવા મા આવે છે.

- text

પ્રવર્તમાન વર્ષે ઠંડી ના એંધાણ વર્તાય રહ્યા છે, વહેલી સવારે ગુલાબી ઠંડી નો ચમકારો દેખાઈ રહ્યો છે ત્યારે જલારામ મંદીર ખાતે શુધ્ધ ચોખ્ખા (અમૂલ) ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપૂર એવા અડદીયા નુ સર્વજ્ઞાતિ માટે વિતરણ શરૂ કરવા મા આવેલ છે. અડદીયા પ્રતિ કીલો રૂ.૨૮૦ ના ભાવે વિતરીત કરવા મા આવી રહ્યા છે.

અડદીયા વિતરણ આખા શિયાળા દરમિયાન ચાલુ રહેશે તેમજ એડવાન્સ બુકીંગ જરૂરી નથી. દરરોજ તાજા સ્ટોક માંથી વિતરણ થશે. જેની સર્વેએ નોંધ લેવા જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.

- text