રવિવારે મોરબીમાં તુલસીના રોપનું વિનામૂલ્યે વિતરણ કરાશે

- text


મોરબી : આગામી દેવ ઉઠી એકાદશી એટલે કે દેવ-દીવાળીના અનુસંધાને મોરબી ખાતે તારીખ 29 ઓક્ટોબરને રવિવારે વિનામૂલ્યે 1000 તુલસીના રોપનું વિતરણ કરવામાં આવનાર છે.

મયુર નેચર ક્લબ,વન વિભાગ- મોરબી અને પત્રકાર મિત્રો દ્વારા આગામી તા.29 ઓક્ટોબરને રવિવારે સવારે ૯.૩૦ વાગ્યે, કે.કે.સ્ટીલવાળી શેરી, સંદેશ બ્યુરો ઓફીસ નીચે, રામચોક પાસે, શનાળા રોડ ખાતે વહેલા તે પહેલાના ધોરણે 1000 તુલસીના રોપનું વિતરણ કરવામાં આવશે. જેથી જાહેર જનતાએ લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

- text

- text