- text
ક્રાંતિકારી ભારત છોડો ચળવળની યાદમાં ભાજપ દ્વારા આયોજન
મોરબી : ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા આજથી બરાબર ૭૫ વર્ષ પહેલાં ૦૯.૦૮.૧૯૪૨ ના રોજ “ભારત છોડો “ની હાકલ કરવામાં આવી હતી એ ક્રાંતિકારી દિવસને યાદ કરતા આજે સાંજે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબી ખાતે મશાલ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે
આ રેલી આજે તા.૦૯ને બુધવાર રાત્રે ૮.૦૦ કલાકે, નવા બસ સ્ટેન્ડની સામે, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી પ્રારંભ થઇ ગાંધી ચોક મુકામે શહીદ ભગતસિંહ સ્ટેચ્યુ પાસે સમાપન થશે
આ રેલીમાં બહોળી સંખ્યામાં જોડાવા માટે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી હસુભાઈ પંડ્યા, રીશીપભાઈ કૈલા, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન કંઝારીયા, ઉપપ્રમુખ ભરતભાઇ જારીયા દ્વારા આહવાન કરવામાં આવે છે.
- text
- text