મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ફ્રી સારવાર કેમ્પ : 250 લોકોએ લાભ લીધો

- text


દર્દીઓને સારવાર સાથે ફ્રી દવાનું પણ વિતરણ કરાયું

- text

મોરબી : ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા તા.૧૪ મે રવિવારના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્દીઓને સારવારની સાથે ફ્રી દવાઓ પણ આપવામાં આવી હતી .
મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા માતા મણીબેન વનેચંદ દોશી તથા માતા શારદાબેન નવીનચંદ દોશીની પુણ્ય સ્મૃતિમાં તા.૧૪ મે ના રોજ ફ્રી નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . કેમ્પમાં કુલ 250 દર્દીઓએ લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કેમ્પમાં જામનગરના સ્પેસ્યાલીસ્ટ ડોક્ટર દ્વારા હાડકાના દુખાવા, કમરના દુખાવા, સાંધાના દુખાવા, મણકાના દુખાવા, સાયટીકા તથા થાપાના દુખાવા અન્ય રોગોનું નિ:શુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું. તથા દર્દીઓને દવાઓ પણ ફ્રી આપવામાં આવી હતી . આ કેમ્પ ઓમ શાંતિ વિદ્યાલય, સરદારબાગ સામે, શનાળા રોડ ખાતે યોજાયો હતો. આ કેમ્પને સફળ બનાવવા ભાવેશભાઈ દોશી જયંતીભાઈ જે.દંગી, હર્ષદભાઈ ગામી સહિતના જેહમત ઉઠાવી હતી.

- text