26 અને 27 એપ્રિલે મોરબી માર્કેટિંગ યાર્ડમાં અનાજ વિભાગમાં હરરાજી બંધ રહેશે

- text


મોરબી : આગામી તારીખ 26 અને 27 એપ્રિલ એમ બે દિવસ મોરબી માર્કેટિંગ યાર્ડની કામગીરી બંધ રહેશે. રાજસ્થાનમાં 26 એપ્રિલે મતદાન હોય મજૂરભાઈઓ રાજસ્થાન મતદાન કરવા જવાના હોવાથી યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે. જેથી 26 અને 27 એપ્રિલના રોજ બે દિવસ અનાજ વિભાગમાં હરરાજીનું કામકાજ બંધ રહેશે જેની નોંધ લેવા એજન્ટભાઈઓ, વેપારીભાઈઓ અને ખેડૂતભાઈઓને જણાવાયું છે. 29 એપ્રિલથી હરરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે.

- text