Morbi : લાલપર ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાઇ

- text


મોરબી: લાલપર ગામમાં આજે તારીખ 25 એપ્રિલના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લાલપરના આરોગ્ય કર્મી દિલીપ દલસાણીયા, અનિલ પઢારીયા દ્વારા લાલપર તાલુકા શાળાના બાળકો તેમજ ગ્રામજનોને પ્રોજેક્ટર થકી મેલેરિયા નિર્મૂલન માટે શુ કરવું અને શુ ના કરવું એ બાબતે યોગ્ય માહિતી આપવામાં આવી હતી. ગપ્પી ફિસ અને પોરા નિદર્શન કરાવીને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ મેલેરિયા અટકાયત માટે પપેટ શો નું આયોજન કરાયુ હતું.

વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ધીરેન મહેતા, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિપુલ કરોલીયાની સૂચના અને પ્રા.આ.કે. લાલપરના મેડિકલ ઓફિસર ડો. દર્શન ખત્રી, સુપરવાઈઝર દીપક વ્યાસ અને અમિતા મૂછડીયાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા લાલપર તાલુકા શાળાના પ્રિન્સિપાલ સહિતના સાથી કર્મચારીઓએ મદદ કરી હતી

મેલેરિયા ન થાય તે માટે આટલું જાણવું જરૂરી છે

- text

મેલેરિયા માદા એનોફીલીસ મચ્છર દ્વારા ફેલાય છે જે મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણીમાં જ ઈંડા મૂકે છે. મેલેરિયાના મચ્છર સાંજે તથા રાત્રે વધારે સક્રિય હોય છે. મેલેરીયા રોગથી બચવા માટે લાંબી બાયના કપડાં પહેરો. ઘરમાં રહેલા પાણીના પાત્રોને હવાચુસ્ત રીતે ઢાંકીને રાખો તેમજ તેની નિયમિત સફાઇ કરો. નકામા ટાયર ભંગારનો ચોમાસા પહેલા નિકાલ કરો. મેલેરિયાથી બચવા માટે દવાયુક્ત મચ્છરદાની નો ઉપયોગ તેમજ સાંજના સમયે ઘરમાં લીમડાનો ધુમાડો અને મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરો. સરકારી દવાખાનામાં મેલેરિયાનું નિદાન વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

- text