- text
મોરબી : માળીયા મિયાણા તાલુકાના અંજીયાસર ગામે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેનાર પરિણીતાને પતિ અને સાસુ શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી આ પગલું ભર્યું હોવાની ફરિયાદ પરિણીતાના માતાએ કરતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા ગામે રહેતા આયશાબેન અવેશભાઈ કટિયાએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.9માર્ચના રોજ તેમની પુત્રી પરવીને અંજીયાસર પતિ ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવના મૃતક પરવીનના પતિ આસિફ ઉમરભાઈ મુલ્લા અને સાસુ જરીનાબેન મુલ્લા અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ આપવાની સાથે પતિ આસિફ નશો કરી મારકુટ કરતો હોય પરવીનને મરવા મજબુર કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text
- text