Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

- text


મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ થી તારીખ 1 મેને બુધવાર ચૈત્ર વદ-8 (આઠમ) ના શુભ દિવસોએ રાખવામાં આવ્યું છે. તો આ ધર્મમહોત્સવમાં સહભાગી થઈ પધારવા માટે શ્રી સમસ્ત વરીયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ-મકનસર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

આ પ્રસંગ અંતર્ગત તારીખ 29-30 એપ્રિલના રોજ સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી પૂજન અર્ચન તેમજ હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તારીખ 1 મે ના રોજ સવારે પૂજનવિધિ બાદ બપોરે 12:30 કલાકે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાશે. તેમજ સાંજે 6 કલાકે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. આ મહોત્સવમાં મંત્રી પરસોતમ રૂપાલા, સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા સહિત રાજકીય હોદેદારો ઉપસ્થિત રહેશે.

- text