હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

- text


બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે

હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે પધાર્યા છે.પૂજ્ય બાપુનું હળવદ રબારી સમાજ દ્વારા ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના રબારી સમાજના આગેવાનો યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી.

હળવદ પરગણા રબારી સમાજના દેહઈ જયેશભાઈ રબારીએ જણાવ્યું હતું કે વડવાળા મંદિરની ગુરુગાદી સંભાળ્યા પછી ધર્મગુરુ રબારી સમાજના પરગણામાં એક વખત પરગણાવાઈ ગામોમાં રબારીના નેહડાના ઘરે ઘરે જઈને પધરામણી કરવાની પરંપરા ચાલી આવે છે અને આ પરંપરા આજે પણ અકબંધ છે. પૂજ્ય બાપુએ બે દિવસ માટે હળવદમાં પધરામણી કરી છે.હળવદ નેહડાના 150 ઘરે બાપુ પધરામણી કરશે અને પરિવારજનોને આશીર્વાદ આપશે.

- text

- text