વાંકાનેરમાં મહાવીર જયંતિ નિમિત્તે લાડુની પ્રસાદીનું વિતરણ કરાયું

- text


મોરબી: જિલ્લાના વાંકાનેરમાં આજે તારીખ 21 એપ્રિલ રવિવારના રોજ જૈન સંઘ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક નિમિતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વાંકાનેર શહેરના એક્ટિવ વિસ્તાર એટલે કે ચાવડી ચોક મેઈન બજાર પાસે હંમેશની જેમ વાંકાનેર તાલુકા તેમજ શહેરની જાહેર જનતા માટે સવારના 10.30 થી 1.00 વાગ્યા સુધી અંદાજે 2500 જેટલા બૂંદીના લાડવાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

તમને જણાવી દઇએ કે, આ પ્રસંગે આજે સવારના 6.45 કલાકે ઉપાશ્રયથી ચાવડી ચોક, પુલ દરવાજા, પ્રતાપ ચોક, પ્લે હાઉસ, દેરાસર અને ઉપાશ્રય આપેલ રુટ મુજબની પ્રભાત ફેરીનું એક વિશિષ્ટ આયોજન થયું હતું. તેમજ પ્રભુ મહાવીર સ્વામીનો જય જય કાર બોલાવાયો હતો.

- text