- text
મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે.
- text
મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા હીરાભાઈ ભજનીકના ફાર્મ ખાતે અખંડ રામ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 9 એપ્રિલ થી 9 મી મે સુધી એટલે કે, 1 મહિના સુધી 24 કલાક રામભક્તો દ્વારા અખંડ રામ ધૂન થશે. આ પ્રસંગે ભાઈઓ તથા બહેનો ભાવી ભક્તોને લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
- text