નવી પીપળીના રોકડીયા હનુમાનજી મંદિરનો આજે પાટોત્સવ

- text


મારૂતિ યજ્ઞ, મહાપ્રસાદ અને ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન

મોરબી : આજે 30 એપ્રિલ ને મંગળવારના રોજ મોરબીના નવી પીપળી ખાતે ધર્મગંગા સોસાયટીમાં આવેલા રોકડીયા હનુમાનજી મંદિરનો પાટોત્સવ તથા મારૂતિ યજ્ઞ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

- text

રોકડીયા હનુમાનજી મંદિરના પાટોત્સવ પ્રસંગે આજે સવારે 7 વાગ્યેથી મારૂતિ યજ્ઞની શરૂઆત થઈ છે. સાંજે 6 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જ્યારે રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં ભજનીક નવિન જોષી, યોગીતા પટેલ અને લોક ગાયક હેતલ રામાનુજ ભજનની રમઝટ બોલાવશે. પાટોત્સવ પ્રસંગે સંતો-મહંતો પણ ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજનમાં ધર્મગંગા સોસાયટી, શાંતિ નગર સોસાયટી, સિલ્વર સોસાયટી, ઓમ પાર્ક સોસાયટી અને રોકડીયા હનુમાનજી ધુન મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

- text