મોરબીમાં વીજ કર્મચારી નિવૃત્તિ થતા વિદાય સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબીના જેતપર 66 KV ખાતે એપીઓ તરીકે ફરજ બજાવતા બી.આર. પંડ્યા વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં હોય તેમનો નિવૃત્તિ સન્માન સમારોહ મોરબીની રાધિકા હોટલ ખાતે યોજવામાં આવ્યો હતો.

29 એપ્રિલના રોજ યોજાયેલા બી.આર. પંડ્યાના નિવૃત્તિ સન્માન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે નિવૃત્ત એડીશનલ ચીફ ઇજનેર ડી.બી. વામજા તથા અધ્યક્ષ સ્થાને કાર્યપાલક ઇજનેર એ.કે.પટેલ ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં મોરબી ડિવિઝનનાં ઇજનેર અધિકારી તથા કર્મચારી, સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા. બી.આર. પંડ્યાની ફરજ દરમ્યાન કાર્યશૈલી તથા તેમની કામ પ્રત્યે વફાદારીની દરેક અધિકારીઓએ પ્રશંસા કરી તેમને બિરદાવ્યા હતા. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સંચાલિત કાર્યક્રમમાં સંઘના મોરબીના દરેક હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. પ્રણાલિકા મુજબ બી.આર. પંડ્યાનું સન્માન કરી તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી. સ્વાગત તથા પ્રાસંગિક પ્રવચન જોષીભાઈ, સરડવા સાહેબ ડી.ઈ. અને આભાર વિધિ રાઠોડભાઈ તથા સંચાલન ગોસાઇભાઈ, ભગદેવભાઈ અધારાભાઈ, કાવરભાઈએ કર્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયે સૌએ સાથે ભોજન લીધું હતું.

- text

- text