ટંકારામાં આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ

- text


 

ટંકારા : ટંકારા ખાતે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજીની 133મી જન્મજયંતીના અવસરે ભવ્ય શોભાયાત્રા, જાહેર સભા તેમજ સમૂહ ભોજનનું આયોજન કરાયું હતું. આ તકે તાલુકાના દરેક ગામેથી સેંકડો લોકોએ આ મહોત્સવમાં હાજર રહી આંબેડકર સાહેબની પ્રતિમાએ ફુલહાર નમન કર્યાં હતાં.

બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજીની 133મી જન્મજયંતી પ્રસંગે જાણીતા કલાકાર જુ.નરેશ કનોડિયાએ પણ વિશેષ હાજરી આપીને ભીમ ગીતો પર અભિનય તેમજ નૃત્ય પ્રસ્તુત કરીને ભીમસૈનિકોને થનગનતાં કરી દીધાં હતાં. રેલી દરમિયાન વેપારી એસોસિયેશન, આર્ય સમાજ દળ, મુસ્લિમ સમાજ સમિતિ, ડૉ. આંબેડકર યુવક મંડળ તેમજ અનેક રાજકિય સામાજિક આગેવાનો દ્વારા ઠંડા પીણાં તેમજ છાશ વિતરણ કરાયું હતું.શોભાયાત્રા બાદ મૈત્રીભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ટંકારા તાલુકાનાં અનુસુચિત સમાજ અને ડૉ. આંબેડકર ભવન સેવા સમિતિ દ્વારા આ આયોજન કરાયું હતું.

- text

- text