વાંકાનેરના સરતાનપર ગામે 23મીથી શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ

- text


વાંકાનેર : વાંકાનેરના સરતાનપર ગામે શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞનું તા.23 એપ્રિલથી 1 મે સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથા શ્રવણનો સમય સવારે 9થી 12 અને બપોરે 3થી સાંજે 6 સુધીનો રહેશે.

- text

આ કથામાં આચાર્ય જીગ્નેશ મહારાજ ( સુંદરી ભવાનીવાળા) વક્તા રહેશે. કથામાં 23મીએ પોથીયાત્રા, તુલસી ચરિત્ર, 25મીએ રામ જન્મ, 26મીએ રામ વિવાહ, 27મીએ રામ વનવાસ, 28મીએ ભરત મિલાપ, 29મીએ હનુમાન મિલાપ, 30મીએ રામેશ્વરની સ્થાપના સહિતના પ્રસંગો ઉજવાશે. 1 મેએ કથા વિરામ પામશે. આ સાથે 23મીએ હનુમાનજીના મંદિરે યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

- text