હળવદના ધુળકોટ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધીનું એલાન કરતો ક્ષત્રિય સમાજ

- text


 

આજુબાજુમાં પણ ક્યાંય કાર્યક્રમ થશે તો કાળા વાવટા ફરકાવી વિરોધ કરવાની ચીમકી

હળવદ : રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટીકીટ પાછી ખેંચવાની માંગ સાથે ક્ષત્રિય સમાજનું આંદોલન વેગ પકડી રહ્યું છે. જેમાં હળવદનું ધૂળકોટ ગામ પણ જોડાયું છે. અહીં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીની જાહેરાત કરવામાં આવી છે.

- text

ગામના ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું કે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી છે તેને વખોડી કાઢવામાં આવે છે. જો પરસોતમ રૂપાલાની ટીકીટ રદ નહિ થાય તો ભાજપમાં કોઈ નેતાને ગામમાં પ્રવેશવા દેવામાં નહિ આવે. વધુમાં આજુબાજુમાં પણ જો ભાજપનો કાર્યક્રમ હશે તો ત્યાં જઈ કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવશે. અગ્રણીઓએ ઉમેર્યુ કે રાજકોટમાં 14મીએ ક્ષત્રિય સમાજની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગામના ક્ષત્રિય આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપશે.

- text