- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલીડા ગામે આવેલ દેવ પેકેજીંગ નામના કારખાનામાં કામ કરતા મૂળ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના વતની વાસુદેવભાઈ શિવધરભાઈ રામ ઉ.68 નામના વૃદ્ધ કોઈ બીમારી સબબ બેભાન બની ગયા બાદ સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text