મોરબીના સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિરનો 24 મો પાટોત્સવ ઉજવાયો

- text


સંત સંમેલન, સત્સંગી જીવન કથા, અન્નકૂટ દર્શન, અભિષેક અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

મોરબી : મોરબીના સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિરમાં પ્રેમસ્વામીના શુભ સંકલ્પથી બાલસ્વરૂપ ઘનશ્યામ મહારાજના 24માં પાટોત્સવ પ્રસંગે સંત સંમેલન, સત્સંગી જીવન કથા, અન્નકૂટ દર્શન, અભિષેક અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં 82 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

- text

પાટોત્સવના મુખ્ય યજમાન જયંતીભાઈ નથુભાઈ બાવરવા હતા. આ પ્રસંગે વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી તેમજ અન્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં શાસ્ત્રી સ્વામી જગતપ્રકશદાસજી, પુરાણી સ્વામી દિવ્યપ્રકાશદાસજીએ જહેમત ઉઠાવી હતી. સત્સંગીજીવન કથાના વક્તા વંદન સ્વામી હતા. બ્લડ ડોનેશન કેમ્પના રકતદાતાઓનો સંસ્કાર બ્લડ બેંકના સંચાલક રમેશભાઈ માકાસણાએ આભાર માન્યો હતો. આ ઉપરાંત સંત સંમેલનમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

- text