- text
મોરબી : ટંકારા તાલુકાના વીરપર નિવાસી પરેશભાઈ પ્રભુભાઈ લિખીયાની શ્રદ્ધાંજલિ નિમિત્તે એમની ચોથી માસિક પુણ્યતિથિનાં રોજ તેઓની કર્મભૂમી મોરબીની અણીયારી ચોકડી ખાતે મિત્રમંડળ દ્વારા રામધૂનનું અયોજન કરવામાં આવ્યું હતું.
- text
ગઈકાલે તારીખ 16 માર્ચ ને શનિવારનાં રોજ પરેશભાઈ લિખીયાની ચોથી માસિક પુણ્યતિથિ હોય તેઓના સ્મરણાર્થે અણીયારી ચોકડીએ તેમના શોપિંગવાળા મિત્રમંડળ દ્વારા રામધૂનનું અયોજન્ન કરાયું હતું અને તેમની યાદમાં અણીયારી ચોકડીએ એક ચબુતરાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ધૂનનાં કાર્યક્રમમાં સમગ્ર અણીયારી ગામ અને આજુબાજુનાં ગામવાળા ભાવિકોએ ભાગ લઈ પરેશભાઈનાં દિવ્ય આત્માની શાંતિ માટે પ્રભુ પ્રાર્થના કરી હતી.
- text