મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણીનો શુભારંભ કરાવતા રાજ્યપાલ

- text


મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મસ્થળથી લવાયેલ યજ્ઞજ્યોતને મહોત્સવના સ્થળે યજ્ઞવેદીમાં સમર્પિત કરી હવનમાં સહભાગી થતાં રાજ્યપાલ

રાજ્યપાલએ મહર્ષિના જીવન આધારિત પ્રદર્શનની મુલાકાત લઈ ગૌ પૂજન અને ધ્વજારોહણ કર્યું

મોરબી : મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતિની મોરબી જિલ્લાના ટંકારા ખાતે થઈ રહેલી ભવ્યાતિભવ્ય ઉજવણીનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મોરબી-રાજકોટ રોડ પર નિર્મિત કરસનજીના આંગણા ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. રાજ્યપાલએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના ટંકારા ખાતે આવેલ જન્મસ્થળથી વાજતે ગાજતે યોજવામાં આવેલ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું અને સાથે લાવવામાં આવેલ યજ્ઞજ્યોતને ભાવપૂર્વક આવકારીને યજ્ઞવેદીમાં સમર્પિત કરીને  લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનમાં સહભાગી થયાં હતાં.

શોભાયાત્રા દરમિયાન ભાવિકો મહર્ષિ દયાનંદ સરસ્વતી લિખિત ‘સત્યાર્થ પ્રકાશ’ ગ્રંથ તથા જ્યોત સાથે ઉત્સાહભેર ઉજવણીમાં જોડાયાં હતા. કાર્યક્ર્મ સ્થળે રાજ્યપાલએ ગૌ પૂજન કરી ધ્વજારોહણ કર્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૨૦૦માં સ્મરણોત્સવ નિમિત્તે તૈયાર કરવામાં આવેલા સ્વામી દયાનંદ સરસ્વતીના જીવન, કાર્ય અને તેમના સંદેશ પર આધારિત વિશેષ પ્રદર્શનની મુલાકાત લઈને રસપૂર્વક નિહાળ્યું હતું. આ પ્રદર્શનમાં આર્ય સમાજની સ્થાપના અને વિકાસ તેમજ મહર્ષિની ભારત વર્ષની યાત્રા દર્શાવતા સ્થળો, ભારતભરના આર્ય સંસ્થાનો, સ્વામીના જીવનની ઝાંખીનું નકશા રૂપે નિદર્શન, વિવિધ પુસ્તકો વગેરે અસરકારક રીતે દર્શાવવામાં આવ્યું છે.

- text

આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી, આર્ય સમાજના સુરેશચંદ્ર આર્ય, વિનય આર્ય, સુરેન્દ્રકુમાર આર્ય, પદ્મશ્રી પૂનમ સૂરિજી, શ્રી અજય શહગલ, શ્રી શુષ્માજી, શ્રી ધર્મપાલજી સહિત અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા.

- text