વાંકાનેરના ચંદ્રપુરની મોહંમદી લોકશાળા હાઈસ્કૂલ ખાતે મીર સાહેબના હસ્તે ધ્વજ વંદન કરાયું

- text


વાંકાનેર : વાંકાનેર સહિત દેશભરમાં આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વાંકાનેરના ચંદ્રપુરની મોહંમદી લોકશાળા હાઈસ્કૂલ ખાતે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય અને મોમીન સમાજના ધર્મગુરુ ખુરશીદ હૈદર પીરઝાદા (મીર સાહેબ)ના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

- text