ટંકારાના નાના રામપર ગામે શ્રીરામ મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

- text


ટંકારા : અયોધ્યા ખાતે આગામી 22 જાન્યુઆરીના શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ટંકારા તાલુકાના નાના રામપર ગામમાં તા. 21 અને 22 જાન્યુઆરીના રોજ ભગવાનજીભાઈ ભીખાભાઈ કાલરીયાના નિવાસ સ્થાને શ્રીરામ મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત બે દિવસ સુધી વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવવાની છે. જેમાં તા. 21ના સવારે 7:30 કલાકે મહાયજ્ઞનો પ્રારંભ થશે, બપોરના 2:30 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે. તેમજ તા. 22ના સવારે 10:30 કલાકે મૂર્તિ અભિષેક અને બપોરના 1:30 કલાકે બીંડુ હોમાશે. આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત તા. 22ના ભગવાનજીભાઈ કાલરીયાના નિવાસ સ્થાને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રાત્રીના 9 કલાકે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં બ્રિજરાજદાન ગઢવી, પુજાબેન ચૌહાણ, મિલન પટેલ, રવિ આહિર, જયંતિલાલ વ્યાસ સહીતના કલાકારો ઉપસ્થિત રહેશે. આ ધાર્મિક કાર્યક્રમમાં ટંકારા તાલુકા તેમજ નાના રામપર ગામની ધર્મપ્રિય જનતાને ઉપસ્થિત રહેવા ભગવાનજીભાઈ કાલરીયાના પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text