મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા મકરસંક્રાંતિએ દાન પર્વ ઉજવ્યું 

- text


વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ દાન ગંગાવતરણ હેઠળ જાહેર જનતાના સાથ સહકારથી 1,00,000 જેટલી માતબર રકમ એકત્ર કરી

મોરબી: મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા આ મકરસંક્રાંતિ પર્વની “દાન ગંગાવતરણ” પર્વ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.જાહેર જનતાના સાથ સહકારથી વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી જરૂરિયાતમંદોના લાભાર્થે 1,00,000 જેટલી માતબર રકમ એકઠી કરી હતી.

ઉચ્ચશિક્ષણમાં કોમર્સ ક્ષેત્રે મુઠેરી ઉંચેરું નામના ધરાવતી મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા છેલ્લા 7 વર્ષથી મકરસંક્રાંતિ પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. જેમાં પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટની રાહબરી હેઠળ કોલેજના વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો મોરબીમાં નવલખી ચોકડી, ઉમિયા સર્કલ, અવની ચોકડી, ગેંડા સર્કલ, એસપી રોડ, ગાંધી ચોક, વાવડી રોડ, રાજપર ચોકડી તેમજ સામે કાઠે મહેન્દ્રનગર ચોકડી, ઉમા ટાઉનશીપ, છાત્રાલય રોડ વગેરે જેવા વિસ્તારોમાં ટીમ વર્ક દ્વારા માત્ર બે કલાક સવારે 8 થી 10 સેવાયજ્ઞ કરીને નિ:સહાય અને અનાથ બાળકો તેમજ ગંગા સ્વરૂપ બહેનોના લાભાર્થે દાન એકઠું કરવા સેવાયજ્ઞ ચલાવ્યો હતો.

- text

આ વર્ષે પણ મોરબીની જાહેર જનતાના સાથ સહકારથી કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ 1,00,000 (એક લાખથી વધુ) જેટલી માતબર રકમ એકઠી કરી હતી. આ રકમનો ઉપયોગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન નિ:સહાય અને અનાથ બાળકો, ગંગા સ્વરૂપ બહેનો તેમજ જરૂરિયાતમંદોની સેવાર્થે કરવામાં આવશે. ઉપરોક્ત પ્રોજેકટમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ઉત્સાહભેર જોડાયા હતા.

- text