21 જાન્યુઆરીએ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ યોજાશે

- text


મોરબી : આગામી તારીખ 21 જાન્યુઆરી ને રવિવારના રોજ મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનો સત્કાર સમારોહ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે હેતુ સાથે 21 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે મોરબીના જિલ્લા પંચાયત ભવન પાછળ સમાજની વાડી ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સમાજનાં દરેક વિદ્યાર્થીઓને તેમજ તેમના માતા-પિતાને તેમજ સમાજનાં આગેવાનો, સહયોગીયો અને વડીલોને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોઈ વિદ્યાર્થીઓ વિશેષ કાર્યક્રમ કે કૃતિ રજૂ કરવા ઈચ્છતા હોય તેઓએ જગદીશભાઈ ગંગારામભાઈ બાંભણીયા (મો.નં. 9106518189), દીનેશભાઈ રત્નાભાઈ સાથલીયા (મો.નં. 9875014155)નો સંપર્ક કરવો તેમ જણાવાયું છે.

- text