ધુળકોટના વાનરવીર આશ્રમે 12 જાન્યુઆરીએ ભવ્ય લોકડાયરો યોજાશે

- text


મોરબી : ધુળકોટ ગામે આવેલા વાનરવીર આશ્રમ ખાતે આગામી તારીખ 12 જાન્યુઆરી ને શુક્રવારના રોજ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

વાનરવીર હનુમાનજી દાદાના મંદિર તથા દેવાધિદેવ મહાદેવ શિવાલયના નવ નિર્માણના લાભાર્થે 12 જાન્યુઆરી ને શુક્રવારે રાત્રે 10 કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકડાયરામાં કલાકાર વર્ષાબેન તલસાણિયા, ભૂમિબેન આહીર, બેબી મિત્તલ, ભજનીક લાખાભાઈ આહીર, ભજનીક છગનભગત (રામગઢ), સાહિત્યકાર વાલાભા ગઢવી અને કમાભાઈ કોઠારીયા હાજરી આપશે. સાંજે 6-30 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. આ પ્રસંગે કરણી સેનાના મોરબી તાલુકાના મહામંત્રી યુવરાજસિંહ રાઠોડ પોતાના ગ્રુપ સાથે હાજરી આપશે. તો આ કાર્યક્રમમાં પધારવા મહંત ધરમદાસ બાપુએ સર્વેને આમંત્રણ પાઠવ્યું છે.

- text

- text