- text
ખેડૂતના વરંડામાં બાંધેલા 4 ઘેટાં અને એક બકરાનું મારણ : પશુ દીઠ 5000 સુધીનું વળતર ચૂકવવા કાર્યવાહી
વાંકાનેર : વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામે ગઈકાલે દીપડો ત્રાટક્યો હતો અને ખેડૂતના વરંડામાં બાંધેલા 4 ઘેટાં અને એક બકરાને ફાડી ખાતા વનવિભાગે નિયમ મુજબ વળતર ચૂકવવા માટે કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકામાં દીપડાઓના વસવાટ વચ્ચે શિયાળો શરૂ થતા જ પશુઓના મારણ કરવાના કિસ્સામાં વધારો થયો છે ત્યારે ગઈકાલે વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામે ખેડૂત નુરમામદ ખોરજીયાના વરંડામાં દીપડો ત્રાટક્યો હતો અને 4 ઘેટાં અને એક બકરાને ફાડી ખાતા વનવિભાગે નિયમ મુજબ વળતર કેસ અંગે કાર્યવાહી કરી પ્રત્યેક પશુ દીઠ વધુમાં વધુ રૂપિયા 5 હજારની જોગવાઈ મુજબની વળતર અંગેની કાર્યવાહી કરી હોવાનું ફોરેસ્ટ અધિકારી નરોડીયાએ જણાવ્યું હતું.
- text
- text