જયશ્રી રામ ! મોરબીની ક્રિષ્ના સ્કૂલમાં વિદ્યાર્થીઓને રામમંદિરની રૂપરેખા અપાઈ 

- text


મોરબી : આગામી તા.22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુ શ્રીરામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. મહોત્સવને લઈને સૌ કોઈમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીની ક્રિષ્ના સ્કૂલમાં આજે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રૂપરેખા સહિતની માહિતી આપવામાં આવી હતી.

આજરોજ મોરબીની ક્રિષ્ના સ્કૂલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક મહેન્દ્રભાઈ સવસાણી, રાજુભાઈ બદરખીયા, જયદીપભાઇ દેત્રોજા અને રૂપેશભાઈ રાણપરા ઉપસ્થિત રહ્યા હતા અને અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની રૂપરેખા આપીને ઉત્સાહનો સંચાર કર્યો હતો. આ તકે ક્રિષ્ના સ્કૂલ વતી ટ્રસ્ટી હર્ષદભાઈ ઓડિયા, આચાર્ય મનીષભાઈ ચારોલા અને હાર્દિકભાઈ પાંચોટીયાએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. અને તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાવા અપીલ કરવામાં આવી હતી.

- text

- text