અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું હળવદ ખાતે સ્વાગત કરાયું

- text


હળવદ : અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું હળવદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં હળવદના લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકદાસજી દ્વારા અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યું હતું.

અક્ષત કળશનું હળવદ ખાતે પૂજન કર્યા પછી સરા નાકાથી ઢોલ-નગારા સાથે લક્ષ્મીનારાયણ મંદિર સુધી અક્ષત યાત્રા પણ નીકળી હતી. આ અક્ષત યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ભુપતભાઈ ગોયાની, બજરંગ દળ ગુજરાતના સંયોજક ભાવેશભાઈ ઠક્કર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ હળવદ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા તેમજ ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ તેમજ ગામના સનાતની હિન્દુ ભાઈઓ તથા બહેનો જોડાયા હતા.

- text

- text