ઓમ ફિઝિયોથેરાપી ક્લિનિકમાં બુધવારથી 3 દિવસનો ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પ

 

સાયટીકા, ગાદી ખસી જવી તેમજ મણકાના ઘસારાથી થતા દુઃખાવા, હાથ-પગનો લકવો, ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા બાદની સમસ્યા તેમજ કમર, ગરદન, ઘૂંટણ, કોણી, એડી વગેરે દુઃખાવાની આધુનિક મશીનો અને કસરત દ્વારા સારવાર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ઓમ ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા 20 સપ્ટેમ્બરથી વિનામૂલ્યે 3 દિવસના ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રોગો તથા સમસ્યાઓની આધુનિક મશીનો અને કસરત દ્વારા સારવાર કરવામાં આવશે.

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ગોલ્ડન માર્કેટ પાસે મહાબલી હનુમાન મંદિર સામે આવેલ વૈદહી પ્લાઝામાં બીજા માળે કાર્યરત ઓમ ફિઝિયોથેરાપી ક્લિનિકમાં ડો. મોન્ટુ રાજપરા દ્વારા તા.20 થી 22 સપ્ટેમ્બરથી સુધી સવારે 9:30 થી 12 વાગ્યા સુધી નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં હાથ-પગનો લકવો, અડધુ અંગ રહી જવુ, મોઢાનો લકવો, ખોડ ખાંપણ માટેની તપાસ અને સારવાર, ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા બાદ તેમજ વિવિધ ઓપરેશન પછીની તપાસ અને સારવાર, કમર, ગરદન, ઘૂંટણ, કોણી, એડી વગેરે દુઃખાવાની તપાસ અને સારવાર, સાયટીકા, ગાદી ખસી જવી તેમજ મણકાના ઘસારાથી થતા દુઃખાવાની તપાસ અને સારવાર, સંધીવા, ઘૂંટણનો વા તથા ઘસારો, લોહીનો ફરતો વા, ગંઠાઈ ગયેલા સ્નાયુની તપાસ અને સારવાર કરવામાં આવશે.

આ સાથે ગુટકા તથા તમાકુના સેવનથી જકડાઈ ગયેલા જડબાની સારવાર, રમત ગમતમાં થતી ઇજાની તપાસ અને સારવાર પણ કરવામાં આવશે. કેમ્પમાં આવતી વખતે બધા જુના રિપોર્ટ સાથે રાખવાના રહેશે. કેમ્પનો લાભ લેનારે રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે. દર્દીઓ માટે અહીં લિફ્ટની સુવિધા ઉપલબ્ધ છે. વધુમાં ડો. મોન્ટુ રાજપરા દ્વારા હોમ વિઝીટની પણ સુવિધા આપવામાં આવે છે.

ઓમ ફિઝીયોથેરાપી કલીનીક
બીજો માળ, વૈદેહી પ્લાઝા,
મહાબલી હનુમાન મંદિર સામે,
ગોલ્ડન માર્કેટ નજીક,
રવાપર ઘુનડા રોડ, મોરબી
ડો. મોન્ટુ રાજપરા
મો.નં. 9773452489