મહેન્દ્રનગર પાસેનો શ્યામ જન્માષ્ટમી મેળાનો છેલ્લો દિવસ : આજે એન્ટ્રી ફ્રી 

મોરબી : મહેન્દ્રનગર પાસે શ્યામ જન્માષ્ટમી ઉત્સવ મેળો 4 દિવસ લંબાવાયા બાદ આજે મેળાના છેલ્લા દિવસ તમામ લોકો માટે એન્ટ્રી ફ્રી રાખવાની આયોજકો દ્વારા જાહેરાત કરાઈ છે.

મોરબીમાં મહેન્દ્રનગર પાસે શ્યામ જન્માષ્ટમી ઉત્સવ મેળામાં આજે અમાસના છેલ્લા દિવસે તમામ લોકો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. આ મેળામાં મોટા માટે અવનવી રાઈડસની મોજ સાથે બાળકો માટે પણ અવનવી રાઈડસ છે. ઉપરાંત અહીં ખાણી-પીણીના સ્ટોલ તેમજ લેડિઝ માટે કટલેરી-જવેલરી, ઘર વખરીના સ્ટોલો પણ છે.