મોરબીમાં શ્રી રામ વડવાળા ગૃપ શોભાયાત્રામાં લચ્છી અને પાણી વિતરણ કરાશે

- text


મોરબી : મોરબીમાં તમામ હિંદુ સંગઠનો દ્વારા જનમાષ્ટમીના પર્વ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે ત્યારે ભક્તોને અગવડતા ન પડે તે હેતુથી શ્રી રામ વડવાળા ગૃપ દ્વારા લચ્છી અને ફિલ્ટર પાણીનું વિતરણ કરવામાં આવશે.

આ શોભાયાત્રામાં શ્રી રામ વડવાળા ગૃપ દ્વારા ગાંધી ચોક, પેટ્રોલ પંપ પાસે, રવાપર રોડ ખાતે લચ્છી અને ફિલ્ટર પાણીનું વિતરણનો કેમ્પ રાખવામાં આવ્યો છે. મોરબીની સર્વે ધર્મપ્રિય જનતાને શોભાયાત્રા દરમિયાન કેમ્પનો લાભ લેવા શ્રી રામ વડવાળા ગૃપ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text