મોરબીમાં ઓમનગર યુવક મંડળ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબીમાં ઓમનગર યુવક મંડળ અને સમસ્ત ઓમનગર (ખા.) ગામ દ્વારા તા. 7 ને ગુરૂવારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે નિમિત્તે સવારે 8 કલાકે રામજી મંદિર ચોક, ઓમનગર ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળશે તેમજ ડી. જે. સાઉન્ડના સથવારે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ધાર્મિક કાર્યક્રમમાં આસપાસની ધર્મપ્રિય જનતાને ઉપસ્થિત રહેવા ઓમનગર યુવક મંડળ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text