મોરબીના અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના સભ્યએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજણવી કરી

- text


મોરબી : આજકાલ જન્મદિવસની ઉજવણી પાછળ ખોટા ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીના જાણિતા સેવાકીય ગ્રુપ અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના સભ્યએ પોતાનો જન્મદિવસ સેવાકીય કાર્ય થકી ઉજવીને અન્યોને પ્રેરણા આપી હતી.

અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના સભ્ય જયેશભાઈ ગોપાલભાઈ ગોધાણીનો જન્મદિવસ હોય તેઓએ મોરબીના નવલખી ફાટક, અગ્નેશ્વર મહાદેવ મંદિર, મયુર પુલ નીચે ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને બટેકા પૌવાના સ્વાદિષ્ટ નાસ્તાનું વિતરણ કરીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, જાગૃતિબેન, પ્રભાબેન મકવાણા, અલ્પાબેન કક્કડ સહિતના લોકો જોડાયા હતા અને જયેશભાઈ ગોધાણીને જન્મદિવસની સાર્થક ઉજવણી કરી હતી. જયેશભાઈને જન્મદિવસે સગાં-સંબંધીઓ તથા મિત્ર વર્તુળ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

- text

- text