મોરબીમાં પ્રદેશ ભાજપ ઓબીસી અધ્યક્ષનું બક્ષીપંચ આગેવાનો દ્વારા સન્માન

- text


25થી વધુ ઓબીસી સમાજના અગ્રણીઓએ મયંકભાઇ નાયક અને યોગેશભાઈ ગઢવીનું ઉત્સાહભેર સન્માન કર્યું

મોરબી : ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઇ નાયકનો મોરબીમાં અભિવાદન સમારોહ યોજાયો હતો. મોરબીના નવલખી રોડે આવેલ રોકડિયા હનુમાનની બાજુમાં મચ્છોયા આહીર સમાજની વાડી ખાતે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઇ નાયકનું જુદા જુદા ઓબીસી સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વ્યાસ સમાજના વ્યાસ પ્રગતિ મંડળના પ્રમુખ બાબુલાલ વ્યાસ, ઉપપ્રમુખ વસંત વ્યાસ, ડી.જી. વ્યાસ, પ્રવિણભાઇ વ્યાસ,કિશોરભાઈ વ્યાસ, નાનુભાઈ વ્યાસ સહિતના આગેવાનોએ, સાથો સાથ અન્ય જ્ઞાતિના આગેવાનોએ સન્માન કર્યાં હતા.

આ તકે બક્ષીપંચ મોરચાના પ્રદેશના ઉપાધ્યક્ષ યોગેશદાન ગઢવી, મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખચંદુભાઈશિહોરા, મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મહામંત્રી જયદીપભાઈ હુંબલ, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રવિભાઈ સનાવડા, કે.કે. પરમાર, વિનોદભાઇ ડાભીસહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લોકોને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયું માટે ઘરે ભગવાન પાસે દીવો કરીને પ્રાર્થન કરવા માટેની ટકોર કરી હતી. તો કાર્યક્રમના અધ્યક્ષ મયંકભાઇ નાયક દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્યસરકારદ્વારા લોકો ઉપયોગી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેની માહિતી આપવામાં આવી હતી અને ખાસ કરીને બક્ષીપંચમાં આવતા દરેકસમાજના લોકોને સરકારની દરેક યોજનાનો વધુમાં વધુ લાભ મળે તેના માટેની વ્યવસ્થાઊભી કરવાની ટકોર કરી હતી.

- text

યોગેશભાઈ ગઢવીએ વર્ષોની તપસ્યા પછી મોદી જેવા વડાપ્રધાન મળે તેવુ જણાવી 370 ની કલમ હટાવવા સહિત તેમના દ્વારા ઐતિહાસિક લેવાયેલા નિર્ણય વર્ણવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશભાઇ સિંધવ, બિપિનભાઈપ્રજાપતિ, ભવાનીસિંહ, ઘનશ્યામભાઈ, કાંતિભાઈ, સુરેશભાઇ સીરોહિયા, હરીશભાઇ રાતડીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

- text