- text
હળવદ : હળવદ પંથકમાં ખાનીજચોરીમાં બેદરકારી સબબ અગાઉ પીઆઇ એમ.વી.પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હળવદ પંથક ઇન્ચાર્જ પીઆઇને હવાલે થઈ ગયું હતું. વાંકાનેરના પીઆઇને હળવદનો ચાર્જ હોવાથી તેઓ બન્ને તાલુકામાં ધ્યાન ન આપી શકતા હોય હળવદ પંથકમાં કાયમી પીઆઇની નિમણૂક કરવાની માંગ ઉઠી હતી. આથી અંતે હળવદના કાયમી પીઆઇની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મોરબી ખાતે લિવ રિઝર્વમાં રહેલા પીઆઇ કે.એમ. છાસિયાની હળવદના નવા પીઆઇ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
- text
- text